ગુરુનો અપરંપાર મહિમા

  March 4, 2017

જેમનું રૂંવાડે રૂંવાડું અને શ્વાસોચ્છવાસ ગુરુના મહિમાથી છલકાય છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જ્ઞાનગુરુ એટલે સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી). ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે ગુરુમહિમાનો સ્રોત નિરંતર વહેતો રહ્યો છે.
Read more

સિદ્ધાંતોમાં ખુમારી

  March 3, 2017

શ્રીજીમહારાજના પ્રાગટ્યના છ હેતુમાંનો મુખ્ય હેતુ હતો – અનંતાનંત અવતારો અને અવતારોના ભક્તોને પોતાના સર્વોપરી સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવી અનાદિમુક્તની સ્થિતિ કરાવવી. જે કારણ સત્સંગનો અર્થાત્ એસ.એમ.વી.એસ.નો મુખ્ય સિદ્ધાંત બની રહ્યો છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એસ.અમ.વી.એસ.નું સ્થાપન પણ આ સિદ્ધાંતને વિશ્વવ્યાપી કરવા માટે જ કર્યું છે અને એ માટેની જ નેમ લઈ રાત્રિ-દિવસ વણથંભ્યા મંડ્યા રહ્યા છે.
Read more

પ્રતિકૂળતાની પસંદગી - પારાવાર પ્રતિકૂળતા

  March 2, 2017

કષ્ટોની કાંટાળી કેડી અને પારાવાર પ્રતિકૂળતાઓની વચ્ચે જ જેમનું સમગ્ર સંતજીવન પસાર થયું છે તેવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જીવનમાં સાનુકૂળતાના સંજોગોમાં પણ નિરંતર પ્રતિકૂળતાને જ પસંદ કરી છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીના એક વચને આજે હજારો-લાખો હરિભક્તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તત્પર હોવા છતાં તેઓ પ્રતિકૂળતાને જ પસંદ કરે છે. રજોગુણી કીમતી વસ્તુ-પદાર્થ, ગાડી-બંગલા કે સ્થાનને ગુરુવર્ય પ.પૂ. બાપજી ક્યારેય પસંદ ન કરે. હરિભક્તો અતિશે આગ્રહ કરે તો કોઈ ને કોઈ રીતે સમજાવી લે પરંતુ તેમના સિદ્ધાંતવાદી જીવનમાં અલ્પ ફેર પડવા દે નહીં. 
Read more

ધર્મ-નિયમમાં અડગ

  March 1, 2017

વિક્રમ સંવત 2024ના વર્ષે ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવમાં મોટા મંદિરે ઘનશ્યામ મહારાજની બાજુવાળા મેડાના આસને બિરાજતા. એ સમય હતો કે જ્યારે એ દિવ્યપુરુષ પાસે કેવળ અગવડોની ભરમાર હતી; ખીચડીમાં નાખવા હળદર પણ નહોતી; જોડ્ય માટે સાધુ નહોતા; પગમાં ધારણ કરવા જોડા પણ નહોતા; વિચરણ માટે કોઈ વાહન નહોતું; હરિભક્તોમાંય કોઈ સધ્ધર નહોતા ત્યારે પણ તેઓએ સિદ્ધાંત-પ્રવર્તન માટે ક્યારેય નિયમ-ધર્મમાં છૂટછાટ લીધી નહોતી. એ ક્ષણે ને વર્તમાનકાળે પણ વર્તન બાબતે કોઈ પોણી સોળ આની એમની સમક્ષ આંગળી ચીંધી શકે એવો નિયમ-ધર્મ અંગેનો એકેય પ્રસંગ જોયો નથી.
Read more

નીચી ટેલની સેવાનો આગ્રહ

  February 28, 2017

સ્વંય શ્રીજીમહારાજ નીલકંઠવર્ણીરૂપે  લોજમાં સંતોની નીચી ટેલની તમામ સેવાઓ કરતા. એવી જ રીતના દર્શન આપણા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં પણ થાય છે. નાનામાં નાના સંતો કે હરિભક્તની નાનામાં નાની સેવા કરવામાં એ દિવ્યપુરુષે નહિ કોઈ શરમ નહિ કોઈ સંકોચ નીચી ટેલની સેવા કરવાનો આગ્રહ આ દિવ્યપુરુષના જીવનમાં જોવા મળે છે. તે આ પ્રસંગ દ્વારા જોઈએ.
Read more

દાસત્વભાવ

  February 19, 2017

સાધુનું મૂલ્યવાન ઘરેણું એટલે દાસત્વભાવ. દાસત્વભાવનું મૂર્તિમંત સ્વરૂપ એટલે આપણા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી. સંસ્થાના સંસ્થાપક અને સૌના ગુરુસ્થાને બિરાજમાન મોક્ષના દાતા હોવા છતાંય દાસત્વભાવની પરાકાષ્ઠામાં રાચતા એ દિવ્ય સ્વરૂપના દાસત્વભાવના દર્શન આ પ્રસંગ દ્વારા કરીએ.
Read more

કથાવાર્તા શ્રવણની આદર્શ રીત

  February 12, 2017

મોટાપુરુષની એક એક ક્રિયા, એમનું બોલવું, એમનું ચાલવું, એમનો ઇશારો અરે એમની દૃષ્ટિ એમની ટકોર દરેકમાં કોઈક સ્પષ્ટ હેતું હોય જ. એમાંય મોટાપુરુષની ટકોર એ આપણા જીવન ઘડતરનો અને આગળ વધવાનો પાયો છે. ત્યારે પ.પૂ. સ્વામીશ્રી દ્વારા બે હરિભક્તને થયેલી ટકોર પરથી આપણા જીવનમાં પણ આધ્યાત્મિક માર્ગના શ્રેષ્ઠ શિખરો સર કરવાની પ્રેરણા મેળવીએ.
Read more

શ્રીજીમહારાજનું મુખ્યપણું તથા કર્તાપણું

  February 5, 2017

જેના રૂંવાડે રૂંવાડે એક મહારાજની નિષ્ઠા હોય. જેના જીવનમાં એક મહારાજનું જ મુખ્યપણું હોય. એમનું જ એકમાત્ર કર્તાપણું હોય, એ જ સાચા સત્પુરુષ. જેમના જીવનમાં ક્ષણે ક્ષણે મહારાજનાં કર્તાપણાના દર્શન થતા જ હોય છે. પરંતુ આપણા જીવનમાં કેવું કર્તાપણું હોવું જોઈએ ? તે શીખવા માટેનો પ્રેરણા સ્ત્રોત એટલે જ આપણા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એમના જેવો મહારાજના કર્તાપણાનો ગુણ કેળવવા તેમના આવા જ પ્રસંગને વાગોળીને પ્રેરણા મેળવીએ.
Read more

ભલાભાઈ - ૧

  January 19, 2017

લોઢું સોનું થાય ? હા. થાય જો પારસમણિનો સ્પર્શ થાય તો જરૂર સોનું થાય. આવું જ કંઈક બન્યું ઝાડી દેશની એ પશુવત્ જીવન જીવતી પ્રજાના જીવનમાં. જેમને દારૂ પીવું કે પાણી પીવું સમ હતું. ચીભડા કાપવા કે બોકડા કાપવા સમ હતું. આ પ્રજાને પારસમણિ સમ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો યોગ થતા તેમના જીવન સુવર્ણ સમ બની ગયા. આવા જ લોઢામાંથી જ સંપૂર્ણ બનેલ એક આદિવાસી બંધુના ભૂતકાળ અને વર્તમાનને નિહાળીએ.
Read more

વજાભાઈ પટેલિયા - થાંભા ગામ

  January 12, 2017

વ્યસનોમાં અથડાતી, અંધશ્રદ્ધામાં અટવાતી, પશુ-સમજીવન જીવતી એ આદિવાસી પ્રજા ને ઉગારવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમનો હાથ ઝાલ્યો. આદિવાસીમાંથી અનાદિમુક્તની સ્થિતિ પમાડી આમૂલ પરિવર્તન કર્યું. આવા જ એક આદિવાસીમાંથી અનાદિમુક્તની પદવી પામેલ મુક્તની જીવન પરિવર્તન ગાથાને માણીએ...
Read more