ચાતુર્માસના વિશેષ નિયમ - ૨૦૨૨

શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા... ચાતુર્માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ.(ઓછામાં ઓછા ત્રણ નિયમો લેવા)

૧. દરરોજ જ્ઞાન-ધ્યાન ચિંતનમાં લાભ લેવા માટે મંદિરે જઈશ. (ફરજીયાત)

૨. દર રવિવારે સવારે કીર્તન ભક્તિમાં લાભ લેવા માટે મંદિરે જઈશ. (ફરજીયાત)

૩. ચાતુર્માસ દરમ્યાન 'ગુરુદેવ પ.પૂ.બાપજીની અમૃતવાતો ભાગ-1' પુસ્તકની પારાયણ કરીશ.

૪. દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાંચન કરીશ.

૫. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઉચ્ચ સ્વરે દરરોજ એક પ્રાર્થના અથવા પ્રાપ્તિનું કીર્તન બોલીશ.

૬. બજારું ખાણી-પીણીનો ત્યાગ કરીશ.

૭. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.

૮. ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.

શ્રાવણમાસના વિશેષ નિયમ - ૨૦૨૨ (બાળકો માટે)

શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા... શ્રાવણ માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ.(ઓછામાં ઓછા ત્રણ નિયમો લેવા)

૧. અઠવાડીક બાળસભાનો લાભ લઈશ.(ફરજીયાત)

૨. દરરોજ માતા-પિતાને ચરણસ્પર્શ કરીશ.

૩. માતા-પિતા કે વડીલોની સામે નહિ બોલું, જીદ નહિ કરું.

૪. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.

૫. દર રવિવારે સવારે કીર્તન ભક્તિમાં લાભ લેવા માટે મંદિરે જઈશ.

૬. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઉચ્ચ સ્વરે દરરોજ એક પ્રાર્થના કરીશ.

૭. શ્રીજીમહારાજને રાજી કરવા માટે દરરોજ 5 માળા કરીશ.