SMVS
\

પરચા - ૫૫

એક સમયને વિષે બાપાશ્રી નારાયણપુર જાદવજીભાઈને ઘેર પધાર્યા હતા ને મેડા ઉપર રાત્રિએ ખાટલા ઉપર સૂતા સૂતા ઘણી વાર વાતો કરી તે ધનજીભાઈના ઘરનાં કેશરબાઈ પણ સાંભળતાં હતાં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, સર્વે સૂઈ રહો. પછી સર્વે સૂઈ ગયા, પણ કેશરબાઈ તો નિસરણીનાં પગથિયે બેસી રહ્યાં. અને ઘડીક વાર થઈ ત્યાં તો તાળીઓ પડવા માંડી. પછી ઘણાક મોટા મોટા સંતો આવ્યા. તે પરસ્પર મળ્યા ને સામસામી વાતો કરે તે આપણા જેવું બોલે તે બધુંય સંભળાય, પણ સમજાય નહિ, એમ આખી રાત્રિ દેખ્યું. પછી તો પરોઢિયું થયું ત્યારે બાપાશ્રીએ ઊઠીને નિસરણીનાં પગથિયાં તરફ જોયું, ત્યાં કેશરબાઈને પગથિયે બેઠેલા દેખીને કહ્યું જે, અમે તો સૂઈ રહ્યા હતા અને તમે તો હજી બેઠાં છો ! ત્યારે તેણે કહ્યું જે, તમારું સૂઈ રહેવું તે બધું આજ જાણ્યું. ત્યાં જાદવભાઈ ઊઠ્યા ને કહ્યું જે, શું જાણ્યું ? પછી તે કહે જે કાંઈ નહીં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, ના, કાંઈ છે ખરું. પછી કેશરબાઈએ આ બધી વાત કહીં. ત્યારે જાદવજીભાઈ કહે જે, જેમ ઇતરડી ઔમાં રહે તોય દૂધનો સ્વાદ ન લે અને વાછરડું છેટે રહે તોય દૂધ આવે. તેમ હું ભેગો પાસે સૂઈ રહ્યો ને કાંઈ જાણ્યું નહિ અને તમે જાગીને બધી વાતનું સુખ લીધું. ।। ૫૫ ।।
































































































































































































































































































પરચા - ૫૫

એક સમયને વિષે બાપાશ્રી નારાયણપુર જાદવજીભાઈને ઘેર પધાર્યા હતા ને મેડા ઉપર રાત્રિએ ખાટલા ઉપર સૂતા સૂતા ઘણી વાર વાતો કરી તે ધનજીભાઈના ઘરનાં કેશરબાઈ પણ સાંભળતાં હતાં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, સર્વે સૂઈ રહો. પછી સર્વે સૂઈ ગયા, પણ કેશરબાઈ તો નિસરણીનાં પગથિયે બેસી રહ્યાં. અને ઘડીક વાર થઈ ત્યાં તો તાળીઓ પડવા માંડી. પછી ઘણાક મોટા મોટા સંતો આવ્યા. તે પરસ્પર મળ્યા ને સામસામી વાતો કરે તે આપણા જેવું બોલે તે બધુંય સંભળાય, પણ સમજાય નહિ, એમ આખી રાત્રિ દેખ્યું. પછી તો પરોઢિયું થયું ત્યારે બાપાશ્રીએ ઊઠીને નિસરણીનાં પગથિયાં તરફ જોયું, ત્યાં કેશરબાઈને પગથિયે બેઠેલા દેખીને કહ્યું જે, અમે તો સૂઈ રહ્યા હતા અને તમે તો હજી બેઠાં છો ! ત્યારે તેણે કહ્યું જે, તમારું સૂઈ રહેવું તે બધું આજ જાણ્યું. ત્યાં જાદવભાઈ ઊઠ્યા ને કહ્યું જે, શું જાણ્યું ? પછી તે કહે જે કાંઈ નહીં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, ના, કાંઈ છે ખરું. પછી કેશરબાઈએ આ બધી વાત કહીં. ત્યારે જાદવજીભાઈ કહે જે, જેમ ઇતરડી ઔમાં રહે તોય દૂધનો સ્વાદ ન લે અને વાછરડું છેટે રહે તોય દૂધ આવે. તેમ હું ભેગો પાસે સૂઈ રહ્યો ને કાંઈ જાણ્યું નહિ અને તમે જાગીને બધી વાતનું સુખ લીધું. ।। ૫૫ ।।