હિંડોળા સ્પર્ધા - 2022


 સ્પર્ધાનો સમયગાળો

સ્પર્ધાનો સમયગાળો તા. 15-7-2022 થી 15-8-2022 સુધી રહેશે. આપેલ સમયગાળા દરમિયાન સંસ્થાના તમામ બાળકો તથા બાલિકાઓ હિંડોળા સ્પર્ધામાં જોડાઇ શકશે. સ્પર્ધામાં જોડાવા માટેની સુચનાઓ નીચે મુજબ છે.

સ્પર્ધા અંગેની સુચનાઓ

  1. હિંડોળા સ્પર્ધામાં સંસ્થાના દરેક બાળ/બાલિકા મુક્તોએ લાભ લેવાનો રહેશે. જેમાં બાળકો તથા બાલિકાઓ પોતાના ઘરના સભ્યોની મદદ લઇને હિંડોળો બનાવી શકશે.
  2. દરેક બાળકે પોતાનો વ્યક્તિગત રીતે હિંડોળો બનાવવાનો રહેશે.
  3. બાળક પોતાની સ્કીલ મુજબના વિવિધ પ્રકારના નાના-મોટા વિવિધ કલાત્મક હિંડોળો બનાવી શકશે.
  4. દા.ત. ફુલોના, મોતીના, સ્ટોનના, રૂના, કોડીના, દિવાસળીના, સિક્કાના, ચલણી નોટોના, કઠોળના, વાસણના, રાખડીના, ચોકના, ડિસ્પોઝેબલ ચમચી અથવા ગ્લાસના તથા અલગ અલગ થીમ પર પણ બાળકો દ્વારા પોતાની રીતે હિંડોળા બનાવી શકાય.
  5. આપે જે હિંડોળો બનાવ્યો હોય તેમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિને બિરાજમાન કરીને મહારાજને હિંડોળે ઝૂલાવતા હોય તેવો  ફોટોગ્રાફ અથવા વિડિયો ‘9978915545’ આ નંબર પર આપનું આખું નામ, બાળમંડળનું નામ તથા સેન્ટરનું નામ લખી તારીખ 16/8/2022 સુધી વોટ્સઅપ કરવાનો રહશે. પછીથી આવેલા અથવા અધૂરી માહિતીવાળા ફોટોગ્રાફ, વિડિયો માન્ય ગણવામાં આવશે નહીં. (વધુમાં વધુ ત્રણ ફોટોગ્રાફ મોકલવા)
  6. જે મુક્તોના સારા અને ક્રિએટીવ હિંડોળા હશે તે મુક્તોને સંસ્થા લેવલે 1, 2, 3 એમ નંબર આપીને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતા તથા અન્ય બાળકોના સારા હિંડોળાના ફોટોગ્રાફ તથા વિડિયો આપણી વેબસાઇટ www.smvs.org પર મુકવામાં આવશે. 
  7. વિજેતા અંગેનો આખરી નિર્ણય સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયનો રહેશે.