× Show All
 

Flood Relief North Gujrat - 2017

છેલ્લા દશ-બાર દિવસથી સમગ્ર ગુજરાતમાં જ્યારે કુદરતે બારે મેઘ ખાંગા કર્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં આભ ફાટવાની તથા પુરની ભયાનક સ્થિતિ છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની સમગ્ર માનવ સમાજ ને ઉપયોગી થવાની ભાવના પ્રમાણે પ.પૂ.બાપજી (પ.પૂ.દેવનંદનદાસજી સ્વામી) ની આજ્ઞા થી SMVS સંસ્થા દ્વારા સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે પૂ.સંતો તથા ૧૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા ૨૦,૦૦૦ નંગ ફૂડ પેકેટ્સ માં ચવાણું અને સુખડી તૈયાર કરી અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે મોકલી આપવામાં આવેલ છે. તથા ગાંધીનગર જીલ્લાના કલેકટરશ્રીને પણ પુર રાહત કાર્ય માટે ફૂડપેકેટ્સ મોકલી આપવામાં આવેલ છે.