સદ્. બ્રહ્માનંદસ્વામી દર્શન ભાગ - 1

  September 16, 2013

પૂર્ણપુરુષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભવ્ય અને પ્રચંડ સંકલ્પો સાથે, અનંત જીવોને સુખિયા કરવાના શુભ હેતુથી આં બ્રહ્માંડોને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. તો વળી, સાથે પોતાના સંકલ્પોને પુષ્ટ કરવા તથા અનંતાનંત જીવોને એ સંકલ્પોમાં ભેળવવા સદ્.ગોપાળાનંદ સ્વામી, સદ્.મુક્તાનંદ સ્વામી, સદ્.નિત્યાનંદ સ્વામી, સદ્.નિષ્કુળાનંદ સ્વામી, સદ્.ગુણાતીતાનંદ સ્વામી તથા સદ્.બ્રહ્માનંદ સ્વામી જેવા દિવ્યસત્પુરુષોને પોતાની સાથે લાવ્યા. વર્તમાનકાળે એજ શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ છે. અને એમના સંકલ્પો પણ પ્રગટ છે. અને એ દિવ્ય સત્પુરુષોની પરંપરા પણ ચાલતી જ આવી છે. કારણ કે મહાપ્રભુએ કેવળ કૃપા કરી અનંત જીવોને સુખિયા કરવા, વડતાલના ૧૯મ વચનામૃતમાં કોલ આપ્યો છે.
Read more

સદ્. ગોપાળાનંદ સ્વામી દર્શન - ભાગ - 2

  September 4, 2013

વડોદરાના બાપુરાયજીના માતુશ્રી ધામમાં ગયા ત્યારે તેમના તેરમાના દિવસે પોતે શ્રીમંત અને આબરૂદાર હોવાથી પોતાની નાતના અને બીજા સર્વે મળીને ૩૦૦૦ માણસોને જમવા માટે શોરી-પૂરી વગેરે રસોઈ કરાવી. જમવાનો વખત થયો ત્યારે આખાય વડોદરાના બધા માણસ માળી ૮-૧૦ હાજર માણસો આવ્યા.
Read more