સકામ મટી નિષ્કામ થઈએ : 1

  November 25, 2019

કંઠી ધારણ કરવી, તિલક-ચાંદલો કરવો, પૂજા કરવી, દર્શન કરવાં, મંદિરે જવું આ બધો પ્રાથમિક-ઔપચારિક સત્સંગ છે. તે દૈહિક પવિત્રતા કેળવવા માટેનું સાધન છે. જેનાથી દેહ સત્સંગી થાય પરંતુ આત્મા સત્સંગી ન થાય. આત્માને સત્સંગી કરવા પરમાત્માના સંગરૂપી સત્સંગ ફરજિયાત છે. આવી રીતે સત્સંગ એ ક્રિયાલક્ષી કે સાધનલક્ષી શબ્દ નથી. પરંતુ શબ્દાતીત અનુભવાત્મક યોગ છે. જ્યાં આત્મા-પરમાત્માની એકતા પામવા માટે સંતો-હરિભક્તોના સમૂહમાં કથાવાર્તા થતી હોય, ઉત્સવ-સમૈયા થતા હોય તથા સાધ્ય સ્વરૂપ સુધી પહોંચાય તેવી ભજન-ભક્તિ થતી હોય તેને સત્સંગ કહેવાય.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 2

  November 25, 2019

સત્સંગનો મૂળભૂત પાયો સમજણ છે. ગમે તેટલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય પણ સમજણના અભાવે સત્સંગ અર્થહીન બને છે.
Read more

ભક્તિમય આહનિક - 4

  November 18, 2019

સતત પ્રવૃત્તિશીલ જીવનમાં નિવૃત્તિ લઈ ભગવાનની ભજન-ભક્તિ કરવી ઘણી અઘરી છે પણ એવા કોઈક માધ્યમો દ્વારા ભગવાનમાં નિરંતર વૃત્તિ પરોવાયેલી રહે તે માધ્યમ એટલે જ આહ્ નિક
Read more

ભક્તિમય આહનિક - 3

  November 11, 2019

મહારાજે વ્યક્તિમાત્રને 24 કલાક આપ્યા છે તેમાં 8 કલાક દૈહિક ક્રિયા કરવા, 8 કલાક ઉપાર્જન તથા સામાજીક પ્રવૃતી કરવા અને બીજા આઠ કલાક ભગવાનની ભજન-ભક્તિ કરવા, તો તે આઠ કલાક દરમ્યાન શું કરવું ?
Read more

ભક્તિમય આહનિક - 2

  November 4, 2019

ભગવાનના ભક્તે નિત્યક્રમ પૂર્વક ભક્તિમય આહનિક કરવું. પણ આહનિક એટલે શું ? કેવી રીતે કરવું ક્યા માધ્યમો દ્વારા...
Read more