સકામ મટી નિષ્કામ થઈએ : 10

  January 27, 2020

“સકામ ભક્ત થયા બ્રહ્મથી અક્ષર જેવા,                 નિષ્કામ ભક્તને મળે મૂર્તિના મેવા.” બાપાશ્રીના અભિપ્રાય મુજબ નિષ્કામ ભક્તને જ મહારાજની મૂર્તિનું સુખ મળે છે. 
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 9

  January 20, 2020

કાચની વસ્તુઓ દેખાય સરસ પણ તેની જાળવણી ખૂબ કરવી પડે. તેમ સકામ ભક્ત પ્રેમી હોય, તેની ભક્તિ પ્રેમ દ્વારા છતી થતી હોય પરંતુ મહારાજને તેનું સાચવવું બહુ પડે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 8

  January 13, 2020

શ્રીજીમહારાજ અને મોટાપુરુષના અભિપ્રાયોને હૈયે ધરી આપણે નિષ્કામભાવને સ્વજીવનમાં કેવી ચરિતાર્થ કરવો જોઈએ.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 7

  January 6, 2020

સકામભાવ એ મહારાજ અને મોટાપુરુષના રાજીપાના માર્ગે વિઘ્નકર્તા છે. કેમ ? તે જાણીએ તેઓના જ અભિપ્રાય રૂપે
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 6

  December 30, 2019

શ્રીજીમહારાજની મૂર્તિ એ સર્વે સુખનું મૂળ છે તેવું જાણવા છતાં પણ કયાં કારણો વશ સકામભાવના પ્રગટે છે ?  અગાઉ આપણે બે કારણો જોયા છે તે ઉપરાંત અન્ય કારણો અત્રે જોઈએ...
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 5

  December 23, 2019

શ્રીજીમહારાજની મૂર્તિ એ સર્વે સુખનું મૂળ છે તેવું જાણવા છતાં પણ કયાં કારણો વશ સકામભાવના પ્રગટે છે ? તે કારણો જોઈએ...
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 4

  December 16, 2019

શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા થવા નિષ્કામ થવા માટે સૌપ્રથમ સકામભાવ અને નિષ્કામભાવની સ્પષ્ટતા કરવી ફરજિયાત છે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 3

  December 9, 2019

શ્રીજીમહારાજે પોતાના આશ્રિતને પોતાનું કર્તાપણું દૃઢ કરાવવા કેટલા તત્પર છે ! વસોના વાઘજીભાઈ ખૂબ સારા સત્સંગી હતા. તેઓ સમાગમ કરતા અને સેવા પણ કરતા. એક વખત તેઓ બીમાર પડ્યા. મંદવાડ એક વર્ષ સુધી લાંબો ચાલ્યો. શરીરમાં અસહ્ય પીડા થાય, જમાય નહિ, પીવાય નહિ, સરખું બેસાય પણ નહિ તેથી તેઓને સત્સંગમાં ઢીલાશ આવી ગઈ. મનમાં સંકલ્પ થવા માંડ્યા કે સંતોએ વર્તમાન ધરાવ્યા ત્યારે કહ્યું હતું કે, “જા તારું તન, મન, ધન ને અનેક જન્મનાં કર્મ સ્વામિનારાયણને ચરણે. હવે તારું પ્રારબ્ધ સ્વામિનારાયણ ભગવાન થયા.” મારું બધું ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું, એ પ્રારબ્ધ થયા છતાં મને આવું દુઃખ શાથી આવ્યું ? આ મંદવાડ મટશે કે નહીં ? જો મહારાજ ધામમાં લઈ જવાના હોય તો દર્શન કેમ નથી દેતા ? ને શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન હોય તો પ્રારબ્ધે કરીને કેમ આવું દુઃખ આવ્યું હશે ? વાઘજીભાઈએ સત્સંગ કર્યો હતો પરંતુ સમજણની પરિપક્વતા કરવામાં કચાશ હતી. તેથી આવા સંકલ્પો કરતાં પોઢી ગયા.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 1

  November 25, 2019

કંઠી ધારણ કરવી, તિલક-ચાંદલો કરવો, પૂજા કરવી, દર્શન કરવાં, મંદિરે જવું આ બધો પ્રાથમિક-ઔપચારિક સત્સંગ છે. તે દૈહિક પવિત્રતા કેળવવા માટેનું સાધન છે. જેનાથી દેહ સત્સંગી થાય પરંતુ આત્મા સત્સંગી ન થાય. આત્માને સત્સંગી કરવા પરમાત્માના સંગરૂપી સત્સંગ ફરજિયાત છે. આવી રીતે સત્સંગ એ ક્રિયાલક્ષી કે સાધનલક્ષી શબ્દ નથી. પરંતુ શબ્દાતીત અનુભવાત્મક યોગ છે. જ્યાં આત્મા-પરમાત્માની એકતા પામવા માટે સંતો-હરિભક્તોના સમૂહમાં કથાવાર્તા થતી હોય, ઉત્સવ-સમૈયા થતા હોય તથા સાધ્ય સ્વરૂપ સુધી પહોંચાય તેવી ભજન-ભક્તિ થતી હોય તેને સત્સંગ કહેવાય.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 2

  November 25, 2019

સત્સંગનો મૂળભૂત પાયો સમજણ છે. ગમે તેટલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય પણ સમજણના અભાવે સત્સંગ અર્થહીન બને છે.
Read more